શામળાજી શીતકેન્દ્રના કર્મચારીનો નિવૃત્તિ સમારોહ બાયડના ધારાસભ્યના અધ્યક્ષ પદે યોજાયું

મોડાસા,(અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

સાબરડેરી સંચાલિત શામળાજી શીતકેન્દ્ર ના એન્જિનિયરિંગ વિભાગમાં કુલ 35 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ફરજ બજાવતા અરવિંદભાઈ એસ પટેલ નો આજે વિદાય સમારોહમાં બાયડ વિધાનસભા ના ધારાસભ્ય અને સાબરડેરી ના ડિરેકટર જશુભાઈ પટેલ, સાબરડેરી ના પરસોનલ વિભાગ ના સિનિયર મેનેજર એન એલ પટેલ તેમજ પ્રોડક્શન વિભાગ ના ગ્રુપ મેનેજર કે કે જૈન પ્રોડક્શન મેનેજર ડી જે જોષી અને માલપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ માલપુર લેઉવા પાટીદાર સમાજ ના અગ્રણી કરશનભાઇ પટેલ સહિત અનેક આગેવાનો કર્મચારીઓ ની ઉપસ્થિતિ માં નિવૃત કર્મચારી અરવિંદભાઈ પટેલ ને શ્રીફળ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડેરી ના અધિકારીઓ અને કર્મચારીઓ એ માંગ કરી હતી કે 55 વર્ષ નિવૃત્તિ ના બદલે 58 વર્ષ પુરા કરાવવા નો નિયમ બનાવવા બોર્ડ ઓફ ડિરેકટર માં કર્મચારીઓ વતી ધારાસભ્ય અને ડેરી ના ડિરેકટર જશુભાઈ પટેલ ને રજુઆત કરતા જશુભાઈ એ હૈયાધારણ આપી હતી જેથી ઉપસ્થિતિ કર્મચારીઓ અને અધિકારીઓ માં આનંદ જોવા મળ્યો હતો સમગ્ર કાર્યક્રમ માં મોટી સંખ્યામાં સગા સંબંધી ઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here