વડાપ્રધાન મોદીના ” મન કી બાત ” કાર્યક્રમને ભરુચ સાંસદ મનસુખભાઈ વસાવાએ વાલિયા ખાતે નિહાળ્યું

વાલિયા,(ભરૂચ) આશિક પઠાણ (રાજપીપળા) :-

સાંસદ મનસુખભાઈ વસાવા સા વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ સેવનતુભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ” મન કી બાત ” કાર્યક્રમ ને આજરોજ સાંસદ મનસુખભાઈ વસાવા એ વાલિયા તાલુકા યુવા ભાજપ ટીમ દ્વારા આયોજીત દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો “મન કી બાત, કાર્યક્રમ ને શ્રી રંગ નવચેતન મહિલા કૉલેજ, વાલિયા ખાતે નિહાળ્યું હતું.

જેમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે “મન કી બાત” કાર્યક્રમ દ્વારા દેશના જન-જનના કલ્યાણ અને રાષ્ટ્રના વેગવંતા વિકાસ અર્થે દૃઢ સંકલ્પિત પોતાના ઉર્જાવાન, દૂરગામી અને ઓજસ્વી વક્તવ્યો દ્વારા દેશના સૌજનના મનોબળને દૃઢ બનાવી પ્રોત્સાહન પૂરું પાડતા, દેશના નાગરિકોને કોરોના કટોકટી, ટોક્યો ઓલિમ્પિક, ટેક્નોલોજી, શિક્ષણક્ષેત્રે તથા ઉધોગ ક્ષેત્રે દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ સાહિત વિવિધ વિષયો પર વિગતવાર એમના વિચારો વ્યક્ત કર્યા હતા નુ સાંસદ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતું .

મનકી બાત કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા સાથે જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી, વાલીયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સેવંન્તુભાઈ વસાવા, જિલ્લા ભાજપ મંત્રીશ્રી નિશાંતભાઈ મોદી તથા મોટી સંખ્યામાં ત્રણેય તાલુકાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ તથા વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here