લોકસભાની ચૂંટણીઓને અનુલક્ષી ભાજપાનો યુવાનોને આકર્ષિત કરવા માટે અભિયાન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા ના એસટી ડેપો ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા મિસકોલ અભિયાનનો કાર્યક્રમ કરાયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં કેન્દ્ર સરકારને સફળતાપૂર્વક નવ વર્ષ પુર્ણ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે,આ ઉપરાંત લોકસભા ની ચૂંટણીઓ પણ આગામી સમયમાં યોજાનારી હોય ને ભારતિય જનતા પાર્ટી ના કાર્યકરો સક્રિય બન્યા છે અને કેન્દ્ર સરકારની યોજના વિશે લોકોને માહિતી આપીને જાગૃત કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે નર્મદા જિલ્લા યુવા મોરચા દ્વારા રાજપીપળા એસટી ડેપો ખાતે મિસકોલ અભિયાન કરવામાં આવ્યું હતું .

ભારતિય જનતા પાર્ટી ના યુવા મોર્ચા નાં આગેવાનો અને કાર્યકરો એ એસટી ડેપો ખાતે પેસેન્જરો અને શાળા કોલેજ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નો સંપર્ક સાધ્યો હતો અને 200 જેટલાં વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓને મિસ કોલ કરાવીને મિસ કોલ અભીયાન રાજપીપળા ST ડેપો ખાતે કરવામાં આવ્યુ હતું . અને ભાજપ યુવા મોર્ચા એ વિધાર્થીઓ ને ભાજપા સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here