રાહુલ ગાંધીના સમર્થનમાં સંકલ્પ સત્યાગ્રહ સપ્તાહ અંતર્ગત તાલુકા કક્ષાનું સંમેલન યોજાયું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

થોડા દિવસો અગાઉ કોંગ્રેસના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને સુરતની કોર્ટે જ્ઞાતિ વિરૂદ્ધ ટિપ્પણી કરવા બદલ માનહાનીના કેસમાં બે વર્ષની સજા સંભળાવી હતી અને આ સાથે રાહુલ ગાંધીની લોકસભાના સાંસદ તરીકેની સદસ્યતા પણ રદ કરવામા આવી હતી ત્યારે આ મામલે કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર દેશમાં વિરોધ દર્શાવ્યો છે જેને લઈ કાલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાલોલ શહેર સ્થિત સરદાર ભવન કોંગ્રેસ હાઉસ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસના એઆઇસીસીના જનરલ સેક્રેટરી ઉષાબેન નાયડુ ની ખાસ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચીરાગભાઇ શેખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાન અને કાલોલના નિરિક્ષક કિરીટભાઇ પટેલ,જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી સાથે કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકા કોંગ્રેસના આગેવાનો, રાહુલ ગાંધીના સમર્થનમાં સંકલ્પ સત્યાગ્રહ સપ્તાહ અંતર્ગત તાલુકા કક્ષાનું સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here