યુવરાજસિંહને મુક્ત કરવા સિદ્ધપુરમાં કરણી સેનાએ આવેદનપત્ર આપ્યું

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી લેવાતી ભરતી પરીક્ષામાં થતા ગોટાળા,પેપરલીક બાબતે યુવરાજસિંહ જાડેજા મીડિયાના માધ્યમથી ઉજાગર કરી અવાજ ઉઠાવી રહ્યા છે.આથી સરકારને કેટલીય પરીક્ષા ઓ રદ કરવી પડી છે. આવા જાગૃત યુવાનને હતાશામાં ગરકાવ કરી દેવા ગાંધીનગર પોલીસ દ્વારા કલમ ૩૩૨,૩૦૪,૩૦૭ નો ખોટો ઉપયોગ કરી કેસ બનાવી ધરપકડ કરતા રાજ્યભરમાં અને તેમાંય યુવાવર્ગમાં તેનો ઉગ્ર વિરોધ થવા પામ્યો છે.યુવા બેરોજગારોના આઈકોન બનેલા તેમજ યુવાઓ માટે સતત લડત આપતા યુવરાજસિંહ જાડેજા સામે કરાયેલ ખોટા કેસ સત્વરે પરત ખેંચી લેવા તેમજ તેમને સત્વરે ધરપકડ મુક્ત કરવા ગુજરાત રાજપૂત (ક્ષત્રિય) સમાજ સહિત શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આજરોજ સિદ્ધપુર મામલતદાર કનક સિંહ ગોહિલને આવેદનપત્ર પાઠવ્યું હતું.આ પ્રસંગે કરણી સેનાના પ્રમુખ કનક સિંહ રાજપૂત સહિત યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here