ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
ધોરાજી નો મોહંમદ ગરાના યુક્રેન ના ચરનીવર્શી માં BSMU નેશનલ મેડિકલ યુનિવર્સીટીમાં MBBS નો અભ્યાસ કરતો હતો..
મોહંમદ ગરાના એ મીડિયા સમક્ષ આપવીતી જણાવી,યુદ્ધ જાહેર થતા જ અહીં સાયરન શરૂ થયા હતા.. યુદ્ધ ની શરૂઆત થતા ત્યાંની સ્થિતિ માં બધા લોકો જીવ બચાવી ને ભાગ્યા હતા.
ભારતીય મોહંમદ ગરાના પણ ત્યાંથી નીકળવા માટે ઘણી મુશ્કેલી નો સામનો કર્યો હતો, રોમાનિયા ની બોર્ડર સુધી પોચવા માટે કલાકો સુધી બસની મુસાફરી અને ત્યાર બાદ 10 કિલોમીટર સુધી માઇન્સ 2 ડિગ્રી તાપમાન માં પગપાળા મુસાફરી કરી હતી.
રોમાનિયા માં અંદર પ્રવેશવા માટે સ્થાનિક લોકો સાથે ઘણી મુશ્કેલી વેઠી હતી. ચરનીવરશી સીટી માંથી બહાર નીકળવા માટે ત્યાં થી ઘણી મુશ્કેલી નો સામનો કર્યો હતો.
મોહંમદ ને ઓપરેશન ગંગા હેઠળ તેને વતન પરત લાવવામાં ભારત સરકારે મોટી મદદ કરી, મોહંમદ ને સરકાર દ્વારા પ્રથમ દિલ્હી અને ત્યાં થી તેમના ઘરે પહોંચવા માટે તમામ વ્યવસ્થા કરી આપી હતી
મોહંમદ વતન પરત ફરતા એમના પરિવાર જનો માં ખુશી ની લહેર જોવા મળી, ગામનો દીકરો વતન હેમખેમ પરત આવતા ગામ લોકો અને તેના પરિવાર માં આનંદ ની લાગણી જોવા મળી..
મોહંમદ એ મીડિયા ના માધ્યમ થી સરકાર ને કરી વિનંતી.. યુક્રેન માં ફસાયેલ અન્ય વિદ્યાર્થીઓ ને તાત્કાલિક ભારત લાવવા માટે સરકાર ને કરી અપીલ…