બોડેલી: પાવાગઢ જતા માય ભક્તો માટે બોડેલીમાં ઠેર ભંડારાનું આયોજન

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બાપા સીતારામ યુવક મંડળ મોહનનગર દ્વારા જિલ્લા આઠ વર્ષથી ભંડારો સદાવ્રત ચાલે છે

પાવાગઢ જતા માય ભક્તો માટે બોડેલીમાં ઠેર ભંડારાનું આયોજન ચાલે છે આસોસુદ નવરાત્રી દરમિયાન મા શક્તિપીઠ મહાકાળી ના દર્શન માટે મધ્યપ્રદેશથી છોટાઉદેપુર બોડેલી થઈને માય ભક્તો હજારોની સંખ્યામાં જાય છે ત્યારે બોડેલીમાં મોહનનગર સોસાયટીના મેન ગેટ પાસે બાપાસીતારામ યુવક મંડળ દ્વારા પાવાગઢ જતા માય ભક્તોને અન્નો પ્રસાદ લેવા માટે યુવાનો ખડે પગે ઉભા રહીને ભોજન લેવા બોલાવતા હોય છે બોડેલી માં સેવાભાવી કાર્યકર્તાઓ સદા વ્રત રાત દિવસ ખોલી ઉત્તમ કાર્ય કર્યું છે અને બોડેલીમાં દાનવીર દ્વારા ચોખા તેલ તેમજ અનાજનું ગુપ્ત દાન કરે છે અને સારા કાર્યના કામના સહભાગી થાય છે આ મહા પ્રસાદી 24 કલાક ખુલ્લી રાખવામાં આવે છે છેલ્લા આઠ વર્ષથી બાપા સીતારામ યુવક મંડળ દ્વારા આ ભંડારાનું આયોજન કરવામાં આવે છે અહીંયા રોજના 3,000 થી વધુ માય ભક્તો પ્રસાદીનો લાભ લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here