બોડેલી તાલુકાના ઢેબરપુરા,ખારોડા, રાજનગર,કદવાલિયાના વિદ્યાર્થીઓને આવવા જવા માટે એસ.ટી.બસની વ્યવસ્થા કરવા આમ આદમી પાર્ટીની રજુઆત…

બોડેલી,((છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી તાલુકા -કોલેજ મા ઢેબરપુરા , ખારોડા , રાજનગર , કદવાલિયા થી અભ્યાસ અર્થે બોડેલી ખાતે જતા વિદ્યાર્થીઓને આવવા જવા માટે કોઈ એસ.ટી.બસ ની વ્યવસ્થા ન હતી જેના કારણે વિદ્યાર્થીઓ દ્વારા આમ આદમી પાર્ટી નો સંપર્ક કરવામા આવ્યો હતો.અને તેમની સમસ્યા જાણી છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ના કિસાન સમિતી ના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ દ્વારા બોડેલી ડેપો ખાતે 22 સપ્ટેમ્બર નાં રોજ આવેદન પત્ર આપવામા આવેલ હતું.જેના આધારે એસ.ટી ડેપો દ્વારા ડેમો બસ થી રૂટ નું સર્વે પણ કરવામા આવ્યુ જેમા નરેન્દ્રભાઈ એ જાતે બસ સાથે રહી સર્વે કરાવ્યુ.અને ડેપો મેનેજર સાથે પણ ખાસ નિવેદન કરી બસ વહેલી તકે શરૂ થાય અને વિદ્યાર્થીઓને સુવિધા મળે એ બાબતે રજુઆત કરી . ” નવો રૂટ ફાળવવાનો હોય અને જેનો કોન્ટ્રાક્ટ બેંગ્લોર ખાતે આપેલો હોય તો ત્યાથી મંજુર થઈને આવે એટલે ટુંક સમયમા બસ ચાલુ થશે ” આવું બોડેલી ડેપો થી જણાવવામા આવ્યું છે.આમ , બસ ટૂંક સમયમા ચાલુ થવાની હોય તે ખુશી મા વિદ્યાર્થીઓ નરેન્દ્રભાઈ નો આભાર માનવા માટે એમની મુલાકાત લીધી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે બસ ચાલુ થાય તો એ રૂટ પર રસ્તા સફાઈ માટે પણ વિદ્યાર્થીઓએ જાતે ફાળો ઉઘરાવી ને જ સફાઈ કરી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here