બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
બોડેલી જાંબુઘોડા રોડ ઉપર આવેલ જલારામ મંદિરે હિન્દુ મહિનાના કારતક માસના સાતમના રોજ જલારામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે દર વર્ષ જલારામ પરિવાર તેમજ જલારામ બાપાના ભક્ત રામજી મંદિરની જલારામ મંદિર સુધી બોડેલી બજારમાં થઈને જલારામ બાપાની શોભા યાત્રા કાઢવામાં આવે છે પણ આ વખતે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાથી કેટલાક નિર્દોષ માનવિયો નો જીવ લેવાતા અને ભગવાન તેમને આત્માને શાંતિ આપે તે માટે બોડેલીના જલારામ પરિવાર દ્વારા શોભા યાત્રા કાઢવામાં આવી નથી અને તેની જગ્યાએ જલારામ ભક્તોએ જલારામ મંદિરના પણગઢમાં શ્રી રામધુન અને ભજન કીર્તન કરીને અને ભોજન મહાપ્રસાદી આપીને જલારામ બાપાની જન્મ જયંતી ઉજવાઇ હતી.