બોડેલીના ચાચક સ્થિત સ્વામિનારાયણ મંદિરે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાયૅક્રમ યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

હાલમાં સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકારના રાજ્ય સરકાર વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડતી કરવા તથા છેવાડાના ગામોને સો ટકા સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચાચકના સ્વામિનારાયણ મંદિરે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોદી સરકારની ગેરંટીના રથનું સરપંચ સહિત ગ્રામજનોએ ઢોલ નગારાના તાલે પરંપરાગત સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ઉજ્વલ યોજના,આયુષ્યમાન કાર્ડ યોજના,મિશન મંગલમ, કિશાન સન્માનિધિ,આવાસ યોજનાતથા પૂર્ણ શક્તિ યોજના સહિતની સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભો વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સાંસદ ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,સચીવ ભવાની પ્રતાપસિંહ, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલ, છોટાઉદેપુર જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ રાજુભાઈ,જીલ્લા વિકાસ અધિકારી,તાલુકા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here