કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
પીટોલથી દાહોદ થઈને વડોદરા તરફ જતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ બસ નં જીજે ૧૮ ઝેડ ૫૧૬૩ ના ચાલક દ્વારા શુક્રવારે ગોધરાથી હાલોલ તરફ જતા ૧૦.૪૦ કલાકે વેજલપુર ચલાલી ચોકડી નજીક ગફલત ભરી રીતે પુરઝડપે હંકારી રસ્તે આવતા રાહદારી તેમજ વાહન ચાલકોની જીંદગી જોખમમાં મૂકાય તે રીતે પોતાની બસ હંકારી રોડની વચ્ચેના ડિવાઈડર ઉપર ચઢાવી સામેનો રોડ ક્રોસ કરી ઝાડી ઝાંખરામાંથી ખાડામાં ઉતારી દેતા સદભાગ્યે કોઈ મુસાફરો ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. જે અંગેની ફરિયાદ બસ કંડક્ટર અરવિંદભાઈ ભલાભાઈ બારીયા રે. વીરપુર જી. મહિસાગર દ્વારા કરાતા વેજલપુર પોલીસે બસ ડ્રાઇવર અશ્વિનભાઈ ભુરાભાઈ ડિંડોર રે હિરાપુર તા. સંતરામપુર વિરુદ્ધ ઈ.પી.કો કલમ ૨૭૯ અને એમ.વી. એક્ટ ની કલમ ૧૭૭,૧૮૪ આ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.