પત્રકારત્વમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પત્રકારોને “શ્રેષ્ઠ પત્રકારિતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર” થી સન્માનિત કરાશે

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

વિભિન્ન ક્ષેત્રોમાં પ્રિન્ટ પત્રકારત્વમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પત્રકારોને સન્માનિત કરવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા “શ્રેષ્ઠ પત્રકારિતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર” આપવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય પુરસ્કારો માટે ભારતનું નાગરિકત્વ ધરાવતા તમામ પત્રકારો, ફ્રિલાન્સ પત્રકારો તથા ફોટો જર્નાલિસ્ટને જુદી જુદી નવ શ્રેણીમાં પુરસ્કાર આપવા માટે અરજીઓ મંગાવાઈ છે.
પુરસ્કાર માટેની અરજીઓ સચિવશ્રી, ભારતીય પ્રેસ પરિષદ, સૂચના ભવન, ૮-સીજીઓ કોમ્પલેક્ષ, લોધીરોડ, નવી દિલ્હી-૧૧૦૦૩ ને ૧૮મી ઓગસ્ટ-૨૦૨૩ના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં સીલ બંધ કવરમાં ખાનગી લખીને મોકલી આપવા ઉપરાંત અગ્રીમ સોફ્ટ કોપી secy-pci@nic.in પર ઈ-મેઈલ દ્વારા મોકલી શકાય છે. આ માટેની વિસ્તૃત માહિતી www.presscouncil.nic.in પર ઉપલબ્ધ હોવાનું પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here