પત્નિની નજીવી બેદરકારી બની પતિદેવના મોતનુ કારણ !!

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતે પત્નિએ ચા બનાવવામા મોડુ કરતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો

પતિદેવને માઠું લાગતા જંગલમા જઇ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર

પતિ પત્નિના લાગણી સભર સબંધોના રિશ્તામા ચા બનાવવા જેવી નજીવી બાબતે પતિ પત્નિ વચ્ચે ઝઘડો થતાં પતિદેવના મન ઉપર લાગણી અને પ્રેમ હાવી થતા પતિ દેવને ખોટુ લાગતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો કિસ્સો નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ચર્ચાસ્પદ બનેલ છે.

બનાવની વાત કરીએ તો દેડિયાપાડા ખાતે નર્મદાનગર સોસાયટી દેડિયાપાડા ખાતે રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે પપ્પુભાઈ રેદાણે ઉ.વ. 28 નાઓની પત્નિ ઐશ્વર્યાબેને ગતરોજ સવારે પીવા માટેની ચા બનાવવામા થોડુંક મોડું કરતા પતિદેવ પત્નિ ઉપર ગુસ્સે ભરાયા હતા બન્ને વચ્ચે ઝઘડો થતાં ગુસ્સામાંને ગુસ્સામા પતિદેવ પોતાના ઘરેથી બહાર નીકળ્યા હતા.

દેડિયાપાડા તરફથી સાગબારા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલ કાળીયાભુત મંદિર પાસેના સુમસામ જંગલ વિસ્તારમાં જઇ મહેન્દ્રભાઈ એ નાયલોનની દોરીથી ગળામા ફાંસો બાંધી ખાખરાના ઝાડ ઉપર બાધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જંગલ મા લાશ લટકેલ હોવાનું દેડિયાપાડા પોલીસને માલુમ પડતાં પોલીસ તવરિતજ ઘટના સથળે પહોંચી હતી, અને લાશનુ પોષમોરટમ માટે દવાખાનામાં લવાઇ હતી. પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચા જેવી નજીવી બાબતે ઝધડો થતાં પતિદેવ આત્મહત્યા કર્યાની વાત સમગ્ર દેડિયાપાડા પંથકમાં ફેલાતા આ બીના ખુબજ ચર્ચાસ્પદ બની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here