રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ
રાજપીપળા ખાતે ચારભુજા ફર્નિચર શો રૂમના માલિક માણેકલાલ મિસ્ત્રીના પુત્ર હાર્દિકની લાશ આજરોજ નર્મદા નદી કિનારે આવેલ નરખડી ગામ પાસેથી મળી આવતાં રાજસ્થાની મારવાડી પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી.
મળતી માહિતી અનુસાર ચારભુજા ફર્નિચરના માલિક માણેકલાલનો પુત્ર હાર્દિક ઉ. વર્ષ. 19 નાઓનો ગત રોજથી પોતાના ધરેથી બપોરના બે વાગ્યેના સુમારથી બહાર નીકળી ગયો હતો. જે મોડે સુધી પોતાના ધરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ આરંભી હતી. શોધખોળ કરતાં હાર્દિક જે મોટરસાઈકલ લઇને ધરેથી નીકળેલ તે નર્મદા નદીના પોઇચા પુલ પરથી મળી આવી હતી.
જેથી તેની શોધખોળ પરિવારજનોએ આદરતા તેની લાશ આજરોજ નર્મદા નદી કિનારે આવેલ નરખડી ગામ પાસેથી મળી આવી હતી.
મૃતકની લાશ રાજપીપળા સરકારી દવાખાનામાં લાવી તેનુ પોષ્ટમોર્ટમ હાથ ધરી પરિવારજનોને લાશ સોપવામાં આવી હતી.
રાજપીપળા પોલીસે આ મામલે આત્મહત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.