પંચમહાલ જિલ્લામાં વધુ ૨૫ વિસ્તારો કલસ્ટર મુક્ત જાહેર કરાયા

ગોધરા,(પંચમહાલ)

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૨૫ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં શહેરા નગરપાલિકાના કુંભાર વાડા (મુખ્ય બજારનો વિસ્તાર), શહેરા તાલુકામાં સમાવિષ્ટ ગોકળપુરા ગામ, ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ સૂર્યવિલા સોસાયટી, જલારામ નગર, ચેતન દાસ પ્લોટ, જમાલી મસ્જિદ-૦૨, કાલાભાઈ પેટ્રોલપંપ, સર્વોદય હોસ્પિટલ પાછળનો વિસ્તાર, બુરહાની મસ્જિદનો વિસ્તાર, નદીપાર ગોન્દ્રાનો વિસ્તાર, ધાનકાવાડ, કલાલ દરવાજા, પ્રભાકુંજ સોસાયટી, તાઈવાડા, અબ્દાલવાડા-૦૨, શિકારી મહોલ્લા, કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ સુથાર ફળિયા, શ્રીનાથ સોસાયટી, અંબિકા સોસાયટી, રાજપુત ફળિયા, કાલોલ તાલુકાના ડેરોલ ગામમાં સમાવિષ્ટ વાડ ફળિયા, વેજલપુર ગામમાં સમાવિષ્ટ બાગાયત કેન્દ્રનો વિસ્તાર, મોરવા (હ) તાલુકાના મોરા ગામમાં સમાવિષ્ટ રબારી ફળિયા, હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ થડિયા ફળિયાનો વિસ્તાર, ઘોઘંબા તાલુકાના વેલ કોતર ગામમાં સમાવિષ્ટ નિશાળ ફળિયાનો વિસ્તાર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here