પંચમહાલ જિલ્લામાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો યથાવત સક્રિય કેસોની સંખ્યા ઘટીને 787 થઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આજે કોરોના સંક્રમણના નવા 74 કેસો નોંધાયા 76 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ

કુલ કેસનો આંક 9437 થયો કોરોનાને પછડાટ આપી 8464 દર્દીઓને સ્વગૃહે પરત ફર્યા

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-19 સંક્રમણના નવા 74 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 9437 થવા પામી છે. આજે 76 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 787 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા તમામ કેસો પૈકી ગોધરા શહેરમાંથી 16, હાલોલમાંથી 07 કેસ, કાલોલમાંથી 01 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાંથી મળી આવેલા કેસોની સંખ્યા 5470 થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલા કેસો જોઈએ તો ગોધરાના ગ્રામ્યમાંથી 07 કેસ, હાલોલ ગ્રામ્યમાંથી 06 કેસ, કાલોલ ગ્રામ્યમાંથી 05 કેસ, મોરવા હડફ ગ્રામ્યમાંથી 14 કેસ અને શહેરા ગ્રામ્યમાંથી 09 કેસ મળી આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવતા કેસની સંખ્યા 3967 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 76 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 8464 થવા પામી છે. આજે 45 વર્ષથી ઉપરના કુલ 1962 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here