પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા કેસો ઘટવાનો દૌર યથાવત

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

આજે કોરોના સંક્રમણના નવા 05 કેસો નોંધાયા, 05 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ

કુલ કેસનો આંક 3893 થયો, કોરોનાને પછડાટ આપી 3687 દર્દીઓ સાજા થયા

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-19 સંક્રમણના નવા 05 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3893 થવા પામી છે. 05 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 67 રહી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા તમામ કેસો ગોધરામાંથી મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી 03 કેસ અને ગોધરા ગ્રામ્યમાંથી 02 કેસ મળી આવ્યા છે. આ સાથે શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2849 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે 02 કેસ મળી આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1044 કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 05 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3687 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 67 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here