નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
આજરોજ તા.૧૧ મી ફેબ્રુઆરી એટલે એક ભારતીય વિચારક સમાજસેવક અને ભારતીય જનસંઘ ના નેતા જેમણે દેશ માટે બલિદાન આપી દીધું હતું અને એકાત્મા માનવવાદ ના પ્રખર હિમાયતી હતા તેવા પંડિત દિન દયાલ ઉપાધ્યાય ની પુણ્યતિથિ આજે દેશભર મા ઉજવાય રહીછે જે અંતર્ગત નસવાડી તાલુકા ભાજપ દ્વારા આજ રોજ પુણ્યતિથિ સમર્પણ દિવસ નિમિત્તે ફુલહારથી પ્રતિમા પૂજન નો કાર્યક્રમ કરવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપ પ્રમુખ જશુભાઈ ભીલ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ તાલુકા મહામંત્રી અનિલભાઈ શાહ જિલ્લા મંત્રી આશીષભાઈ દલવાડી જિલ્લા પંચાયત સભ્ય ચેતણભાઈ મેવાસી તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા આમ તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી પંડિત દિન દયાલ ઉપાધ્યાય ને શ્રદ્ધાંજલિ આપી તેમના વિચારો જીવનમાં ઉતારવાની સમજણ આપી હતી આમ કાર્યક્રમ ને અંજામ આપ્યો હતો.