નસવાડી ખાતે માવઠુ થતા ખેડુતો મુંજવણમા મુકાયા

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ખાતે કમોસમી વરસાદ પડતા ખેડુતો મુંજવણ મા મુકાયા છે આજે નસવાડી મા વરસાદનું માવઠુ તથા ખેડુતો ચિંતામાં જોવા મળ્યા હતાં હાલ કપાસ નો ભાવ પણ ઓછો મળે છે અને અગાવ પણ માવઠા ને કારણે ખેતી મા નુકશાન થયુ હતુ અને માંડ માંડ ખેડુતો ઉભા થયા હતા અને માવઠુ થવાને કારણે ખેતરોમા કપાસ વીણામણ ચાલુ છે અને વરસાદી માવઠુ થતા ખેડુતોના જીવ તાળવે ચોંટી ગયા છે તો આ કુદરતી હોનારત ને ખેડુતો પહોચી વડે તેમ નથી તેવુ નસવાડી ના ખેડુતો જણાવી રહ્યા છે તો સરકાર આ માવઠા થી જે નુકસાન થાય છે તેને ધ્યાને લઈ કપાસના ભાવ વધારે તો ખેડુતો ઉભા થાય તેમ છે હાલ ગયા વર્ષ કરતા પણ કપાસના ભાવ ઓછા મળી રહ્યા છે તો આ બાબતે સરકાર ખેડુતો વિશે વિચારે અને કપાસના ભાવમા વધારો કરે તેવી ખેડુતો ને આશા બંધાયેલી છે પણ હાલ વરસાદ ના માવઠા ના કારણે ધરતી પુત્રો ચિંતામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here