નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી મા મદની સ્કૂલ આવેલી છે જેમાં તા.4/1/2022 ના રોજ વેકસીનેશન કરવામાં આવ્યું છે જેમાં આપડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ 31 ડિસેમ્બરે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું કે હવે 15 થી 18 વર્ષ ના તરૂણો નું વેકસીનેશન કરવાનું છે જેની જાહેરાત પ્રધાનમંત્રીએ કરી હતી અને એ જાહેરાતના અનુસંધાન માં આજરોજ નસવાડી ની મદની સ્કૂલ માં વેકસીનેશન કરવામાં આવ્યું છે જેમાં મોટા ભાગના તરૂણો ને રસી આજરોજ મુકવામાં આવી છે અને વેકસીનેશન દરમિયાન સંસ્થાના મેમ્બરો હાજર રહી વેકસીનેશન કરાવવામાં આવ્યું છે અને આરોગ્ય ની ટીમે મદની સ્કૂલમાં વેકસીન ની કામગીરી હાથ ધરી હતી જેમાં સારો એવો પ્રતિભાવ આરોગ્યની ટીમ ને મળ્યો હતો અને સંસ્થાના કાર્યકરો પર વિશ્વાસ રાખી ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ રસી લીધી છે અને વાલીઓને પણ રસી બાબતે જાણ કરવામાં આવી હતી અને વાલીઓ ના પણ હકારાત્મક જવાબો મળ્યા હતા અને મદની સ્કૂલમાં વેકસીનેશન કરાયું છે અને વેકસીનેશન દરમિયાન સંસ્થાના ટ્રસ્ટી વકીલ સેહજાદભાઈ તથા સલીમભાઈ આકબાની અને સ્કૂલ મદરેસા ના શિક્ષકો હાજર રહ્યા હતા.