નર્મદા જિલ્લામા આદિવાસી સરપંચોની મળેલ બેઠકમા માળખાકીય અસુવિધાઓના પ્રશ્નો ચર્ચાયા

રાજપીપળા,(નર્મદા)
આશીક પઠાણ

સાગબારા ખાતે સરપંચ પરિષદમા વિકાસના કામો પડતી મુશ્કેલીઓ અંગે પરામર્શ કરાયું

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સરપંચ પરિષદ ગુજરાત નર્મદા જોન પ્રમુખ નિરંજનભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી. જેમાં તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણ તડવી સાગબારા તાલુકા પ્રમુખ સુરેન્દ્રભાઈ વસાવા તેમજ સાગબારા તાલુકાના સરપંચ પરિષદ ગુજરાતના સાગબારા તાલુકાના તમામ હોદ્દેદાર સરપંચ શ્રીઓની આગેવાનીમાં સાગબારા તાલુકાના ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો અંગેની અને માળખાકીય સુવિધાઓની તેમજ પડતી મુશ્કેલીઓની ચર્ચાઓ કરવામાં આવી હતી. સરપંચોની મળેલ બેઠકમા માળખાકીય સુવિધાઓનો જીલ્લામા અભાવ તેમજ આરોગ્ય લક્ષી સમસ્યાઓ અંગે ચર્ચાઓ હાથ ધરાઈ હતી,
આરોગ્યનો ખૂબ જ મોટો પ્રશ્ન છે એ ગંભીર પ્રશ્ન બાબતે તમામ સરપંચશ્રીઓ ના પ્રશ્નો સાંભળી અને આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવવું એ અંગેની ચર્ચા કરવામાં આવી તેમજ અન્ય વિકાસને લગતી પ્રજાના હિત માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here