રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ
નર્મદા કલેક્ટર સહિત સમગ્ર કચેરીના સ્ટાફે સ્વર્ગસ્તને કચેરીના પ્રાગણમા શ્રધ્ધાંજલી અર્પણ કરી
નર્મદા કલેક્ટર કચેરીમા નાયબ મામલતદાર તરીકેની સેવા બજાવતા ઉષાબેન પટેલનુ કોરોના ટેસ્ટીંગ રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર દરમ્યાન તેઓનુ અવસાન થતા રેવન્યુ ડિપાર્ટમેન્ટમા ભારે શોકની લાગણી ફેલાઈ હતી.
સ્વરગસત ઉષાબેન પી. પટેલ હસમુખા સ્વભાવ, અને સહુને મદદરૂપ થવાની ભાવના સાથે હંમેશા ફરજ નિષ્ઠ હોય ને પોતાના સહ કર્મચારીઓ સહિત અરજદારોમા પણ ખુબજ લોકપ્રિય હતા. દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જયાં તેઓનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
આજરોજ રાજપીપળા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં નર્મદા કલેક્ટર મનોજ કોઠારી, આર.ડી.સી.વ્યાસ સહિતના રેવન્યુ સ્ટાફ સહિત કલેક્ટર કચેરીના કર્મચારીઓ એ સ્વર્ગસ્ત ઉષાબેન પી પટેલને બે મિનિટનુ મોન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.