ધોરાજી ખાતે શ્રી રાજપૂત કરણી સેના એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

તા . 1 / 5 થી માતાના મઢ કચ્છથી શરૂ થયેલી એકતા યાત્રા રવિવારે ધોરાજી ખાતે પધારતા ધોરાજી રાજપૂત સમાજ દ્વારા ડી.જે. અને બાઇક રેલી યોજીને ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું . સરદાર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરેલ અને એકતા યાત્રા ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરેલ અને તમામ લોકોએ એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરેલ હતું . આ તકે વિશ્ર્વ હિન્દુ પરિષદ , ભાજપ પરીવાર , આરએસએસ , બજરંગ દળ સહિતની સામાજીક સંસ્થાઓએ સ્વાગત કરેલ હતું . એકતા યાત્રાને લઇ ધોરાજીના પીઆઇ ગોહિલ અને સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલ હતો . આ તકે કરણી સેના અધ્યક્ષ જે.પી.જાડેજા , સૌરાષ્ટ્ર પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા , યુવા નેતા યુવરાજસિંહ જાડેજા , ધોરાજી તાલુકા રાજપુત સમાજએ ભવ્ય સ્વાગત કરેલ આ તકે રાજપૂત સમાજ પ્રમુખ પ્રવીણસિંહ જાડેજા , ક્રિપાલસિંહ જાડેજા , યુવા અગ્રણી હરપાલસિંહ ચુડાસમા ( માતૃકૃપા ) , હરપાલસિંહ જાડેજા ( સંતકૃપા ) , વિરલ પનારા , વિરભદ્રસિંહ ચુડાસમા , દિપસિંહ ચુડાસમા , રણજીતસિંહ જાડેજા , દશરથસિંહ ઝાલા , જગદીશસિંહ વાઘેલા , ભગીરથસિંહ ચુડાસમા , સંદીપસિંહ ચુડાસમા ધોરાજી મેધવાર સમાજ સહિતના રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here