તિલકવાડાંના સુરવા ગામના 24 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મોત

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના સુરવા ગામે રહેતા સંદીપભાઈ બાબુભાઈ બારીયા નાઓ સુરવા ગામે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેઓને રાજપીપળા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં રાજપીપલા હોસ્પિટલના ડોક્ટર દ્વારા દર્દીની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી રાજપીપળા ખાતે દર્દીની સારવાર બાદ વધુ સારવાર અર્થે તેઓને વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન દર્દીનું મરણ થયું હોવાની માહિતી મળેલ છે.

સદર ઘટનાની જાણ તિલકવાડાં પોલીસને થતા તિલકવાડાં પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here