તહેવારોમાં ફરજ બજાવતા ટ્રાફિક જવાનોનું સન્માન કરાયુ

કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

સૌની સલામતી માટે દિવાળીના દિવસે પણ પોતાના કુટુંબીજનો થી દુર રહી રોડ ઉપર મોડી રાત સુધી પોતાની ફરજ બજાવી રહેલ ટ્રાફિક જવાનોને “નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ” તરફથી મીઠાઈ ખવડાવી દિવાળી પર્વ તથા નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી
કાલોલ ખાતે આજના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, પંચમહાલ જિલ્લા મહામંત્રી રમેશભાઈ પરમાર (તલાટી), શૈલેશભાઈ સુથાર, કનકસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here