ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
અખંડ ભારતનાં વર્તમાન ચાણક્ય ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વે રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ભારત સરકારનાં યશસ્વી ગૃહમંત્રી એવાં અમીતભાઈ શાહ નાં 56માં જન્મ દિવસ નિમિત્તે ડીસાનાં ધારાસભ્ય શ્રી શશીકાન્ત પંડ્યા દ્વારા ડીસાના પ્રાચીન નિલકંઠ મહાદેવ મંદિર ખાતે તેમનાં દીર્ધાયુ માટે રુદ્રયાગ યજ્ઞ તથા મહા મૃત્યુંજય જાપ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ ડીસાના ધારાસભ્યશ્રી શશીકાન્ત પંડ્યા દ્વારાં છેલ્લા ધણા વર્ષોથી અમીતભાઈ શાહ સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે આવાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા…