ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-
ડભોઇ તાલુકાના છત્રાલ તથા આજુબાજુના 7 થી 8 જેટલા ગામડાઓ માં લાઈટ ના ધાંધિયા એમાં સરકાર જવાબદાર કે MGVCL જવાબદાર…
ડભોઇ તાલુકાના છત્રાલ, કોઠારા, કોઠારા વસાહત, સેજપુરા, ડાગીકુવા, ખાનપુરા, ઠિકરીયા, નારીયા, નારીયા વસાહત, ના ગામડાઓમાં દિવસ માં 7 થી 8 વાર અને રાત્રે 3 થી 4 વાર વીજળી જતી હોય છે જેને કારણે 7 થી 8 ગામની જનતા ને અગવડતા ભોગવી પડે છે જ્યારે MGVCL ના લાઈન મે કે પીસાઈ સબ સ્ટેશન ના કર્મચારીઓ દ્રારા જનતા નો ફોન ઉપાડવામાં આવતો નથી અને અધિકારી ને જ્યારે ફોન કરવામાં આવે છે તો એમ જણાવે છે કે ભાઈ લાઈન માં મોટો ફોલ્ટ હોવાથી કામ ચાલુ છે તો સરકાર દ્વારા જ્યોતિ ગામ યોજના નો ફિયાસકો ગામે ગામ વીજળી આપવામાં સરકાર નાં વાયદા ખોટા સાબિત થતા હોય તેમ લાગે છે