ડભોઇ સેવાસદનમાં જનસેવા કેન્દ્ર ખાતે 7/12 ,8 અ તથા નમૂના નં 6 ની નકલો કાઢવાની કામગીરી સદંતર બંધ હોવાથી નાગરિકોને ધરમ ધક્કા !!

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

વડોદરા જિલ્લા તથા તાલુકા જન સેવા કેન્દ્ર ખાતે આવેલ એ.ટી.વી.ટી સેન્ટર ખાતે જરૂરી સેવા પૂરી પાડવા રાજકોટ ની એજન્સી ને ઇજારો આપવામાં આવેલ છે.પરંતુ ઇજારદાર દ્વારા ડભોઈ જન સેવા કેન્દ્ર ને 7/12 8 અ તથા નમૂના ની નકલો કાઢવાના ફોર્મ પુરા પાડવમાં ન આવતા જનસેવા કેન્દ્ર ખાતે કામ અર્થે આવનારા ને લોકો ને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.જાણવા મળતી માહિતી મુજબ જન સેવા કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ઓપરેટરો ને માર્ચ 2022 થી પગાર કરવામાં આવ્યો નથી.જે થી હાલ માં જનસેવા કેન્દ્ર ખાતે 7/12 ,8 અ તથા નમૂના નં 6 ની નકલો કાઢવાની કામગીરી સદંતર બંધ હોવાથી લોકો ના કામો અટવાયી જતા ભારે હાલાકી પડી રહી છે.જે અંગે ની જાણ મામલતદાર દ્વારા નાયબ કલેક્ટર જમીન સુધારણા શાખા ને કરવામાં આવી છે.તો સુ આ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવશે કે કેમ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here