ડભોઇ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરીને તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઈ શહેર માં સરદાર પટેલ નિ જન્મ જયંતીની ઉમળકા ભેર ઉજવણી કરાઇ સાથે પૂર્વ વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી ને શ્રધાંજલિ આપી તેઓની પુણ્યતિથિ ઉજવાઈ

ડભોઈ કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબીના જુલતા પુલમાં મૃત્યુ પામેલા લોકો માટે બે મિનિટ નું મૌન પાળી સરદાર ભાઈ પટેલ ની જન્મ જયંતિ ઉજવાઈ

અખંડ ભારતના નિર્માતા ગુજરાત ના પનોતપુત્ર લોહપુરુષ સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે ડભોઇ વડોદરી ભાગોળ પાસે આવેલ સરદાર પટેલ ની પ્રતિમાને હાલમાંજ ભારતીય જનતા પાર્ટીને રામ રામ કહી કોંગ્રેસ પાર્ટી માં જોડાયેલ બાલકૃષ્ણ ઢોલાર વાળા ના હસ્તેપુષ્પાંજલિ કરવામાં આવી હતી સમગ્ર ગુજરાતભરમાં સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરાઇ રહી છે ત્યારે ડભોઇ શહેર વડોદરી ભાગોળ ખાતે આવેલ સરદાર વલ્લભ ભાઈ પટેલની પ્રતિમા ને ડભોઈ સહેર કોંગ્રેસ પક્ષ ના દિગ્ગજ નેતાઓ,હોદ્દેદારો તેમજ પાલિકાના સભ્યો દ્વારા ફૂલહાર કરીને તેમના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી . અને સરદાર ને હર હંમેશ યાદ રાખવા હેતુ ડભોઈ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા સરદાર પટેલ ના જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી અને જન્મ જયંતી ની ઉજવણી કરી હતી.જેમાં કોંગ્રેસ ના બાલકૃષ્ણ ભાઈ પટેલ(ઢોલાર વાળા) ગોપાલભાઈ, સતિષભાઈ રાવલ, મંજુરભાઈ સલાટ અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here