જવાહર નવોદય વિદ્યાલય, વેજલપુર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાઈ

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

જવાહર નવોદય વિદ્યાલય, વેજલપુર ખાતે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપત્તિનાં સમયે કઈ સાવચેતી રાખવી તથા તેનો સામનો કઈ રીતે કરવો તેની સમજ અને જાણકારી આપવામાં આવી હતી. રેડ ક્રોસ સોસાયટીના શ્રી નિલેશભાઈએ આવા સંજોગોમાં પ્રાથમિક ચિકિત્સા કેવી રીતે કરવી અને તે સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેને લગતી જાણકારી આપી હતી. વિદ્યાલયના આચાર્ચશ્રી ડી.એસ.થૂલની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં વેજલપુર પોલિસ સ્ટેશન પી.એસ.આઈ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વેજલપુરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here