છોટાઉદેપુર તાલુકામાં સરકાર સંચાલિત એક માત્ર આદિવાસી સંગ્રહાલય સમારકામ કર્યા બાદ આજથી જાહેરજનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં સરકાર સંચાલિત એક માત્ર આદિવાસી સંગ્રહાલય સમારકામ કર્યા બાદ આજથી જાહેરજનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર સંગ્રહાલયમાં રાઠવા,ભીલ, તડવી,નાયકડા જેવી આદિવાસી જાતિઓની ઘરગથ્થુ ચીજ- વસ્તુઓ,ઘરેણા,વસ્ત્રો,સંગીત વાદ્યો, આયુદ્યો, કૃષિના સાધનો, માટીકામના નમૂનાઓ,કાષ્ઠના દેવ દેવીઓના પુતળા વગેરે પ્રદર્શિત કર્યા છે. જેમાં તેમના મૂળ નિવાસ સ્થાનો જેવા જ ઘરો બનાવી, તેમાં સ્ત્રી પુરુષ,બાળકોના પુતળા બનાવી તેમને ડાયોરામાઓમાં ગોઠવી તેમની જીવનશોલી દર્શાવતા આબોહોબ દ્રશ્યો સંગ્રહાલયમાં ખડા કરવામાં આવ્યા છે. કેટલાક ઘર તો વોક-ઇન-ડાયોરામાં છે. આમ આદિવાસી સંસ્કૃતિનું જતન અને રક્ષણ કરવાનો અને તે દ્વારા ચક્ષુગા શિક્ષણ આપવાનો આ સંગ્રહાલય દ્વારા ઉમદા પ્રયત કરવામાં આવી રહ્યો છે. સંગ્રહાલયનું સમારકામ પૂર્ણ થતા મુલાકીતઓ માટે તા.૧૫.૧૨.૨૩ના રોજથી ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. સંગ્રહાલય સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૩૦ સુધી ખુલ્લુ રહેશે. દર બુધવારે તેમજ રજાના દિવસોમાં બંધ રહેશે. મુલાકાતીઓ માટે ટિકિટ ૧ રૂપિયો રાખવામાં આવી છે.આસિસ્ટન્ટ ક્યુરેટરની કચેરી છોટાઉદેપુર સંગ્રહાલયની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here