છોટાઉદેપુર, સકીલ બલોચ :-
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આરોગ્ય વિભાગ છોટાઉદેપુરના તાબા હેઠળ ફિલ્ડ હોસ્પિટલ અને ક્રિટિકલ કેર બ્લોકના નવીન મકાનનું તા 21/5/23ના રોજ સાંજના 5 કલાકે ઇ ખાત મુહૂર્ત કેબિનેટ કક્ષાના મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબ શિક્ષણ ઊચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં 212 બેડની સુવિધાથી અદ્યતન નવીન મકાન તૈયાર કરવામાં આવશે. જેનો ગરીબ આદિવાસી પ્રજાને લાભ મળશે.
છોટાઉદેપુર ખાતે આવેલ જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલ ખાતે આજરોજ નવીન ફિલ્ડ હોસ્પિટલ અને ક્રિટિકલ કેર બ્લોકના નવીન મકાનનું ઇ ખાત મુહૂર્ત રાજયકક્ષાના મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું જે કાર્યથી આવનારા દિવસોમાં પ્રજાને ઇમરજન્સી આરોગ્ય લક્ષી સેવાઓનોનો ભરપૂર લાભ મળશે. યોજાયેલ કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, દ્વારા વિધિવત રીતે પૂજન કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર આર કે ભગોરા, જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડ ડો સમીર પરીખ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા મહામંત્રી શંકરભાઇ રાઠવા શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી ઉપસ્થિત રહ્યા હતા.