ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ઘોઘંબાથી કાનપુરની આસપાસના ગામોને જોડતા રસ્તામાં છેલ્લા કેટલાક સમયથી મસમોટા ખાડા તેમજ રસ્તાના અમુક જગ્યાએ ઢીચણસમા પાણી ભરાય છે. જેને કારણે સ્કૂલે જતા બાળકો તથા રાહદારીઓ તેમજ ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ગ્રામ્ય વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીઓને તંત્ર સુધી પહોંચાડવા માટે ઘોઘંબા તાલુકાના આમ આદમી પાર્ટી દ્વારા પંચમહાલ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરને લેખિત પત્ર દ્વારા આજરોજ રજૂઆત કરવામાં આવી હતી..