ગોધરા તાલુકાના સુખીયાપુરી ખાતે પ્રાકૃતિક કૃષિની તાલીમ શિબિર યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ખેડૂતોને વિવિધ યોજનાઓ,પ્રાકૃતિક કૃષિ અને મિલેટ ધાન્ય પાકો વિશે જાણકારી અપાઈ

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ -૨૦૨૩ અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ખેતીવાડી અને આત્મા પ્રોજેકટ,પંચમહાલના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગોધરા તાલુકાના રામપુર જોડકા-સુખીયાપુરી ગામે પ્રાકૃતિક ખેતી માટે તાલીમનું આયોજન કરાયું હતું. એ.પી.એમ.સી ચેરમેનશ્રીના પ્રટાંગણમાં યોજાયેલ આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિ,મિલેટ ધાન્ય પાકો,આત્મા પ્રોજેકટ,ખેતીવાડી, બાગાયત અને પશુપાલનની યોજનાઓ,ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનાઓ વિશે ઉપસ્થિત ખેડૂતોને વિસ્તૃત માહિતી પૂરી પડાઈ હતી.

આ પ્રસંગે એ.પી.એમ.સી ચેરમેનશ્રી રાજેન્દ્રભાઈ,આત્મા પ્રોજેકટ ડાયરેક્ટરશ્રી પી.એસ.પટેલ,ખેતીવાડી વિભાગના શ્રી યોગેશભાઈ પટેલ, બી.ટી.એમશ્રી વિશાલભાઈ શાહ, વિસ્તરણ અધિકારીશ્રી શિલ્પાબેન પટેલ સહિત ગામના સરપંચ અને પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here