કેવડીયામાં આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રીસન પાર્કના કોભાંડમાં પગલા લેવા કલેક્ટરને આવેદન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આદિવાસીઓની માંગ નહિ સ્વીકારાય તો દસ દિવસમાં આદિવાસી સંગઠનો ભેગા થઈ આંદોલન કરી વડાપ્રધાન ને રજૂઆત કરવાની ચીમકી

ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા નોઈડા ની મેરો ફોમ ( ઇન્ડિયા) ને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ

નર્મદા જિલ્લામાં આવેલ કેવડીયા કોલોની એક્તા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નાં ચિલ્ડ્રન ન્યુટ્રીસન પાર્ક માં થયેલા કૌભાંડ માં પગલાં લેવા નર્મદા જીલ્લા કલેકટર ને ટાઇગર સેના બોડેલી ના આગેવાન સઈદ મન્સુરી ની આગેવાની માં આજરોજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનમાં જણાવ્યા મુજબ અરજદારો આદિવાસી કેવડીયા વિસ્તારના સ્થાનિક આદિવાસી લોકો હોય અમારા વિસ્તાર માં હાલ દુનિયાનું સૌથી ઉંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માં આવેલ છે, જેમાં અમો આદિવાસી લોકો નું જ બલીદાન સમાવેશ થયું છે, અમારા જંગલો, જમીન, જળ તમામ વસ્તુ નું બલીદાન આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવ્યું છે .

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેખીત માં તેમજ મોખીક માં અમો સ્થાનિકો ને હમેશા માટે રોજગારી આપવાના વાયદા કર્યા હતા.
પરંતુ દુઃખ સાથે જણાવવાનું અમારા ઘણા આદિવાસી લોકો ઘણા સમય થી ન્યાય માટે રજુઆત કરતા આવ્યા છે, અને હવે અમારી ધીરજ નો અંત આવી ગયો છે જેથી અમે આપ સમક્ષ રજુઆત કરી કેવડીયા ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રીસન પાર્ક આવેલ છે જેમાં સંચાલન રૂપે ગુજરાત ઇકોલોજી કમીશન દ્વારા કરવામાં આવેલ છે.

ગુજરાત ઇકોલોજી કમીશન ગુજરાત વન પર્યાવરણ વિભાગમાં આવે છે જેમાં ઉત્તર પ્રદેશ ના નોઇડા ની મેરો ફોર્મ (ઈન્ડીયા) પ્રા.લી. નામ ની કંપની ને ગુજરાત ઇકોલોજી કમીશન ના સેક્રેટરી તથા સીનીયર મેનેજર દ્વારા તમામ પ્રકાર ના કોન્ટ્રાકટ આપવામાં આવે છે જેમાં ગત ૨૮ જુન ૨૦૨૩ ના રોજ છાપામાં આવેલ હતું કે ગુજરાત સરકાર ના તમામ નિયમો ને નેવે મુકી મેરો ફોર્મ કંપની ને 5 કરોડ ના 30 કરોડ કરી આપી દીધા જેનું ખુબ મોટું કોભાંડ બહાર આવે તેમ છે જે હાલ તપાસનો વિષય છે.
ગુ.ઇ. કમીશન HR ના નિયમો બનાવતો સુરત ના રાવ કે જેઓ પોતે કોન્ટ્રેકટર છે તેઓ જ અમારા આદિવસીઓ ની રોજગારી માટે નિયમો બનાવતા હોય તેમ લાગે છે ગુ.ઈ.કમીશન તેનો પોતાનો પાવર આ રાવને આપી દીધેલ હોય તેમ ગુ.ઈ.કમીશન ના સેક્રેટરી તથા સીનીયર મેનેજર મુક દર્શક બની અમારા આદિવાસીઓને લુંટવાનો તમાસો જોઈ રહ્યા છે અને મેરા ફોર્મ કંપની ના ઉઘરાણાં પાછલા બારણે આ બે અધીકારીઓ કરી રહ્યા છે જેથી આ સેક્રેટરી, સીનીયર મેનેજર ખુબ જ મોટો ગોટાળો કરેલ હોય તેમ લાગે છે.તેમજ અન્ય કરોડોના ગોટાળા થયા હોવાના ઉપરોક્ત તમામ આક્ષેપ આવેદન માં લગાવ્યા છે.
ઉપરાંત આદિવાસી અગ્રણીઓ દ્વારા વન મંત્રી ને વારંવાર આ વિષય પર રજુઆતો થાય છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી અને અમો આદિવાસી લોકો સાથે અન્યાય થાય છે.સરકાર ના અધિકારીઓ ભ્રસ્ટ પ્રાઇવેટ કંપની ઓને પ્રજા ના ટેક્ષ ના પૈસા કરોડો રૂપિયાનાં કામ આપી ભ્રસ્ટાચાર આચારે છે તથા ગુજરાત સરકાર કેમ મૌન બેસી રહી છે માટે આ મેરા ફોર્મ કંપની નો કોન્ટ્રાકટ તાત્કાલિક રદ થાય તેમજ તેના પર કાર્યવાહી થાય .તેનું લાયસન્સ રદ કરવામાં આવે તેમજ અમારી માંગ છે કલેકટર આ વિષય પર સંપૂર્ણ તપાસ મેળવે ત્યારબાદ તેઓ જાતે ચાર્જ સંભાળે તેવી અરજ છે.

અમારી માંગણી નહી આવે તો દીન-૧૦ માં અમો તમામ આદિવાસી સંગઠનો ભેગા થઈ કેવડીયા ખાતે આવતા તમામ રોડ રસ્તા રોકી રસ્તા રોકો આંદોલન કરી સમગ્ર પ્રકરણ ને દેશ તથા દુનિયા સામે ઉજાગર કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુઘી રજુઆત કરવાનું આવેદન પત્ર માં જણાવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here