કાલોલ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્યુ

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

આજ ના રોજ વિસાવદર તાલુકાના ગામ મો આમ આદમી પાર્ટી ના નેતા ઇસુદાનભાઈ ગઢવી, મહેશભાઈ સાવાણી.પ્રવીણભાઈ રામ અન્ય કાર્યકર પર જીવલેણ હુમલો કરનાર ને જેલ ભેગા કરવામાં આવે તેમજ સખત સજા કરવામો આવે આવનારા સમય મો આવી વધતી જતી અસામાજિક તત્વોના ગુંડાગર્દી ને ઘ્યાનમાં રાખી આમ આદમી ના કાર્યકરોને પોલીસ રક્ષણ મળે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.

પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી દિનેશભાઈ બારીયા સાહેબના માર્ગદર્શન હેઠળ કાલોલ તાલુકા સમિતિ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અજયસિંહ ચૌહાણ અને કાલોલ તાલુકાના યુવા મોર્ચા ના પ્રમુખ અનિલભાઈ સોલંકી .રાજેન્દ્રસિંહ રાઠોડ.મહેશભાઈ ચૌહાણ.દિલીપભાઈ ચૌહાણ.આકશભાઇ વણજારા. દશરથભાઈ.જશવંતભાઈ ચૌહાણ. મુસ્તાકભાઇ અને અન્ય તમામ કાર્યકરો ઉપસ્થિતિમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here