કાલોલ તાલુકાના કાતોલ ગામનાં યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ તાલુકાના કાતોલ ગામનાં દેવપુરા ફળીયાના રહેવાસી નારણભાઈ ના મોટા પુત્ર એ અગ્મય કારણો સહ ખેતરમાં જઈને ખેતરમાં આંબાના ઝાડ પર દુપટ્ટો બાંધીને ગણે ફાંસો ખાઈ આપઘાત કયૉ. કાલોલ તાલુકાના કાતોલગામનાં ગામ ના દેવપુરા ફળીયામાં રહેતા નારણભાઈ પુંજાભાઈ વણકર (ઉ.વૅ.૫૫) તેમનાં પરિવારજનો સાથે રહેતા હતા. તેમનાં બે પુત્ર અને એક પુત્રી એમ ત્રણ સંતાનો હતાં. જેમાં મોટો પુત્ર આશિષ (ઉ.વૅ.૨૯)પોતાની પત્ની અને બાળક સાથે રહેતા હતાં.ગુરૂવારના રોજ આશિષ પોતાની પત્ની અને પરીવારજનો ને જણાવ્યા વગર બોરૂ રોડ નજીક આવેલા ખેતરમાં આંબાના ઝાડ પર દુપટ્ટો બાંધીને ગણે ફાંસો ખાઈ લીધો હતો.નારણભાઈના ખેતરના સેડાપાડોશીએ આંબાના ઝાડ પર આપધાત કરેલ જોઈને તેનાં પરીવાર જણોએ જણાવતાં પરીવારના સભ્યો તાત્કાલિક ખેતરમાં પહોંચી જોતાં તેમનાં ઘરનાં પરિવારજનો એક સભ્ય એ આપઘાત કરી લેતાં પોતાના પરીવાર થી વિખુટા પડી ગયાં હતાં. ઘર પરીવારે દુઃખ દ ઘટનાની જાણ તેનાં પરીવાર દ્વારા કાલોલ પોલીસને જાણ કરતાં કાલોલ પોલીસ અને ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. કાલોલ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ.એમ.કે.માલવીયા તેમજ તેમની ટીમે પોલીસ પંચક્યાસ કરી વધું કાયૅવાહી માટે રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાલોલ પોલીસ સ્ટેશનમાં તેના પરીવારના જણાવ્યા અનુસાર ફરીયાદ નોંધી. પોલીસે વધું કાયૅવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here