પાવાગઢ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને સાબરકાંઠા ખાતેથી પકડી પાડતી પાવાગઢ પોલીસ

હાલોલ,(પંચમહાલ) રમેશ રાઠવા :-

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.એ. રાઠોડ સાહેબશ્રી તથા સર્કલ પો.ઇન્સ એ.આર. પલાસ સાહેબશ્રી નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.જે. જાડેજા પાવાગઢ પો.સ્ટે નાઓને બાતમી મળેલ કે … પાવાગઢ પો.સ્ટે ગુ.ર.નં .૫૪૩ / ૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૬૩ , ૩૬૬ તથા પોક્સો કલમ ૧૨ મુજબના કામનો નાસતો ફરતો આરોપી વિજય અશોકભાઇ રાઠવા રહે.નાથકુવા તા.હાલોલ જી.પંચમહાલ નાનો સાબરકાંઠા જીલ્લાના તલોદ ખાતે છે જેથી પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીને પકડવા સારુ એક ટીમ બનાવીને અ.હે.કો કલ્પેશકુમાર અમરસિંહ તથા પો.કો કેતનકુમાર દેવરાજભાઇ તથા યુ.પો.કો ઉર્વશીબેન ગણપતસિંહ નાઓ તલોદ સાબરકાંઠા ખાતે જઈ આરોપી વિજય અશોકભાઈ રાઠવા રહે.નાથકુવા તા.હાલોલ જી.પંચમહાલ નાને પકડી પાડી આગળની કાર્યવાહી સારુ સર્કલ પો.ઇન્સ . શ્રી હાલોલ નાઓને સોંપેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here