કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
ઇસ્લામ ધર્મના મહાન પીરે કામીલ પીરોના પીર શેખ સૈયદ અબ્દુલ કાદીર જીલાની રબીઉલઆખર ઇસ્લામી માસના ૧૧માં ચાંદ સમગ્ર ભારતમાં સુન્ની મુસ્લીમ સંપ્રદાયના લોકો દ્રારા ઈદે ગૌષીયા ઉજવણી કરવામાં આવે છે.તેને લઈ અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્રારા બુધવારની સવારે ૧૧ વાગ્યાના સુમારે કાલોલ જુમ્મા મસ્જીદ પાસેથી જુલુશ નુ પ્રસ્થાન કરી નગરના મુખ્ય બજાર થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઇ પરત નુરાની ચોકમાં સભાના રૂપમાં ફેરવાયુ હતુ જેમાં સલાતો સલામ અને દુવા માંગી મુસ્લીમ બિરાદરોએ ઈદે ગૌષીયા પર્વની એકબીજાને મુબારક પાઠવી હતી અગ્યારમી શરીફ નિમિતે કાલોલ શહેર મસ્જીદો મદ્રશા દરગાહો તેમજ મુસ્લીમ મહોલ્લાઓમાં મકાનોને રંગબેરંગી રોશનીથી ઝળાહળા કરાયા છે.ઇદે ગૌષીયા પર્વ નિમિતે સુન્ની મુસ્લીમ સંપ્રદાયના લોકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો