કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
જીલ્લા પુરવઠા કચેરી કેવા પગલા ભરે છે એની કાગડોળે રાહ જોતા ગ્રામ્યજનો…
કાલોલની અંબાલા ગામની સરકારી દુકાનના સંચાલક દ્વારા વિવિધ બહાના હેઠળ ઓછું અનાજ અપાતું હોવાનો વિડીઓ ખૂબ વાયરલ થયો હતો તેજ દુકાનદાર દ્વારા હાલમાં પણ ગરીબો તથા જરૂરિયાતમંદો ને કાર્ડ દીઠ,વ્યક્તિ દીઠ મળવાપાત્ર કરતા ઓછો જથ્થો અપાતો હોવાનો વીડિયો પુનઃ વાયરલ થતા ગ્રામજનો ની ફરિયાદ થતા કાલોલ ના નાયબ મામલતદાર પુરવઠા તથા મામલતદાર પી.એમ.જાદવ દ્વારા શુક્રવારે આ દુકાન ની સ્થળ તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ હતુ મામલતદાર નો સંપર્ક કરતા ગ્રાહકો ના જવાબો લઈ જથ્થા ની ચકાસણી કરી ક્રોસ ચેકીંગ કરેલ દુકાન માં અનાજ ની ઘટ પણ જોવા મળી હતી જે અંગે નો વિગતવાર અહેવાલ કાલોલ ના મામલતદાર દ્વારા તૈયાર કરી ને શિક્ષાત્મક કાર્યવાહી માટે જીલ્લા પુરવઠા અધિકારી ને મોકલી આપ્યો હોવાનું મામલતદાર કચેરી દ્વારા જાણવા મળ્યુ છે ત્યારે જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા મામલતદાર ના અહેવાલ મુજબ કેવી કાર્યવાહી કરવામાં આવે છે તેના ઉપર સમગ્ર કાલોલ તાલુકાના નાગરિકો ની નજર છે.