નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
આજ રોજ નસવાડી ની એસ.બી.સોલંકી વિદ્યા મંદીર ખાતે નવરાત્રી ના તહેવારને લઈ વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા હતા જેમા ધોરણ એક થી લઇ ધોરણ આઠ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગરબે ઘુમ્યા હતા. જેમાં શાળાના શિક્ષકોએ રસ લઈ નવરાત્રિના તહેવારની ઉજવણી શાળા ખાતે કરવામાં આવી હતી જેમાં મોટાભાગના છોકરાઓ અને છોકરીઓએ ભાગ લીધો હતો અને ડોડિયુ ત્રણ તાલી ના ગરબા વગાડી તમામ બાળકો ગરબા રમી આનંદ માણ્યો હતો. આ પ્રસંગ યાદગાર પ્રસંગ રહેશે તેવું વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળેલ છે અને તમામ વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં શું સજ્જ પોશાક સાથે શાળામાં આવ્યા હતા અને ગરબાની રમઝટ જામી હતી અને વિદ્યાર્થીઓએ ગરબા રમી ખૂબ આનંદ માણ્યો હતો.