આયુષ્યમાન ભવ: અભિયાન અંતર્ગત ઘોઘંબા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન મેળાનું આયોજન કરાયું,૨૩૦ લોકોએ સ્વાસ્થ્ય સેવાઓનો લાભ લીધો

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં એસ્પીરેશનલ બ્લોકમાં સમાવિષ્ટ,ઘોઘંબા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ: અભિયાન અંતર્ગત આયુષ્યમાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય મેળામાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.આર.પી.સિંઘ, સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. વિજય પટેલ તથા ડો.પારસ પટેલ અને જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ ગોધરાના દરેક પ્રકારના રોગોના નિષ્ણાંત ડોક્ટરની ટીમ ઉપસ્થિત રહી લોકોને સ્વાસ્થ્ય સેવાઓ આપી હતી.આરોગ્ય મેળામાં અલગ અલગ વિભાગમાં કુલ ૨૩૦ વ્યક્તિઓએ સ્વાસ્થ્ય સેવાઓનો લાભ લીધો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here