આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગોધરા ખાતે ગ્રાહક સંપર્ક પહેલ અને મેગા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમનું આયોજન

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને લોન વિતરણનો કાર્યક્રમ યોજાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઈ રહેલ જનહિતલક્ષી કાર્યક્રમોની શૃંખલામાં આવતીકાલે ગોધરા ખાતે ગ્રાહક સંપર્ક પહેલ અને મેગા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં 125 કરોડથી વધુની રકમની લોનનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતી, ગુજરાત તેમજ બેન્ક ઓફ બરોડા રીજનલ ઓફિસના સંયુક્ત ઉપક્રમે ચંદન બાગ પાર્ટી પ્લોટ, બામરોલી રોડ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે શ્રી ધ્રુબાશીષ ભટ્ટાચાર્ય, ન્યુ એમ.એસ.એમ.ઈ કોર્પોરેટના પ્રમુખશ્રી, વડોદરા ઝોનના પ્રમુખશ્રી રાજેશ કુમાર સિંહ, રીજન ઓફિસના પ્રમુખશ્રી આદિત્યકુમાર કન્નોજિયા, પંચમહાલ લીડ બેન્ક મેનેજર શ્રી એસ.કે. રાવ સહિતના અગ્રણી બેન્ક અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત વધુમાં વધુ લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત આવરી લઈ લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે હેઠળ બેન્કિંગ સેક્ટરમાં પણ ક્રેડિટ આઉટરીચનો પ્રોગ્રામ ચલાવી અલગ-અલગ ક્ષેત્રોમાં લોન માટેની અરજીઓ મેળવવામાં આવી હતી, જેમના લાભાર્થીઓને કાલે મંજૂરી પત્રો, લોનના ચેકનું વિતરણ કરવામાં આવશે. સવારે 10.45 કલાકથી આ કાર્યક્રમનો શુભારંભ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here