આગામી તા. ૧૦-૦૯-૨૦૨૩નાં રોજ છોટાઉદેપુર નગરમાં નવિન જીલ્લા અદાલત, છોટાઉદેપુરનાં બાંધકામ માટે ભુમિપૂજનનો કાર્યક્રમ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

નામદાર ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ નાઓનાં વરદ હસ્તે થનાર છે. જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટનાં ન્યાયમૂર્તિ તથા છોટાઉદેપુર જિલ્લાનાં એડમીનીસ્ટ્રેટીવ ન્યાયમૂર્તિ શ્રી ઉમેશ એ. ત્રિવેદી અને નામદાર ગુજરાત હાઇકોર્ટનાં ન્યાયમૂર્તિ શ્રી જે.સી. દોશી ઉપસ્થિત રહેનાર છે. છોટાઉદેપુર જિલ્લો ન્યાયિક દ્રષ્ટિએ તા. ૨૪-૧૨-૨૦૧૬થી વડોદરા જિલ્લાથી છુટો પડેલ. હાલમાં છોટાઉદેપુર મુખ્ય મથક ખાતેની અદાલતો સેક્રેટરીએટ બિલ્ડીંગ ખાતે કાર્યરત છે. હાલમાં છોટાઉદેપુર નગરમાં નવિન જિલ્લા અદાલતનાં બાંધકામ માટે ૨૦,૦૦૦ ચોમી (૨ હેક્ટર) જેટલી જમીન ફાળવવામાં આવેલ છે. નવિન જિલ્લા અદાલત, છોટાઉદેપુર માં કુલ ૦૯ કોર્ટોનું બાંધકામ થનાર છે. તે ઉપરાંત નવિન જિલ્લા અદાલતની ઇમારત ચાર માળની અને તમામ આધુનિક સુવિધાઓથી સુસજ્જ બાંધવામાં આવશે. આધુનિક ઇમારતનું બાંધકામ છોટાઉદેપુર નગરની મધ્યમાં રેલ્વે સ્ટેશનની નજીક અને છોટાઉદેપુર વિશ્રામ ગ્રુહની સામે થનાર છે. જેથી છોટાઉદેપુર નગરનાં નગરજનો તથા છોટાઉદેપુર જિલ્લાનાં તમામ તાલુકાનાં પક્ષકારો તેમજ વકીલો તમામ માટે આશીર્વાદ રુપ સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here