કાલોલ તાલુકાના બાકરોલ ગામે કૌટુંબિક ભાભી સાથે આડા સંબંધોની આશંકાએ પરણિતાના પતિએ પિતરાઈ ભાઈની કરી હત્યા…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

લગ્નબાહ્ય સંબંધોના અતિરેક વધુ એકનો ભોગ લીધો… બાકરોલ સમેત આસપાસના ગામોમાં ચકચાર મચી જવા પામી 

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના બાકરોલ ગામે રહેતા 23 વર્ષીય નટવરસિંહને તેના પિતરાઈ ભાઈ પ્રદીપ ઉર્ફે બુધાભાઇ ઉદેસિંહ પરમારની પત્ની સાથે આડા સંબંધો હોવાની આશંકાએ બંને કુટુંબો વચ્ચે વારંવાર નાના મોટા ઝગડાઓ થતાં હતાં., ત્યારે ગત બુધવારની સમી સાંજે આજ અદાવાતોને લઈ થયેલ વધુ એક ઝગડો જીવલેણ બન્યો હતો. પોતાની જ પત્નીના લગ્નબાહ્ય સંબંધોના અતિરેકની આશંકાઓથી ઉશ્કેરાયેલા પ્રદીપે તેના પિતરાઈ નાનાભાઈ નટવરસિંહને છાતી અને માથાના ભાગે લાકડાના મરણતોલ ફટકા મારી નાસી છૂટયો હતો. મારના પગલે લોહીલુહાણ હાલતમાં જમીનપર ફસડાયેલ નટવરસિંહને તેના પરિજનો દ્વારા સારવાર અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા મૃતકના પરિવારમાં સ્તબ્ધતાની સાથે સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. મૃતકના પિતા મોતીભાઈ સોમાભાઈ પરમારે ઘટના હકીકતોના આધારે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપીકો કલમ 302, 504 હેઠળ ગુનો દાખલ કરી મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ કાર્યવાહી દરમ્યાન પરણિતાની પણ વ્યાપક પૂછપરછ થઈ શકે છે તેવી માહિતી નજીકના સૂત્રો પાસેથી જાણવા મળી છે. ઘટના અંગે તપાસની કામગીરી પોસઈ જે. ડી. તરાલ સાંભળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here