અરવલ્લી જિલ્લામાં મળી જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લામાં માનનીય કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક મળી. બેઠકમાં જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ કામોની સમિક્ષા કરવામાં આવી

બેઠકમાં જિલ્લાના ભુવનેશ્વર મહાદેવ મંદિર, ગણપતિ મંદિર, નીલકંઠધામ, સૂરપાનેશ્વર મંદીર, લાખનેચી માતાજી મંદીર, ગઢી માતાજી મંદિર જેવા વિવિધ મંદિરોના વિકાસકામોની મંજૂરી અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં મોડાસા મુકામે આવેલ લીમડા તળાવ અને બાડેસર તળાવના બ્યુટીફિકેશન અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ સાથે બેઠકમાં ઝાંઝરી ધોધને વિકસાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી

બેઠકમાં કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમલ શાહ,ધારાસભ્ય શ્રી પી. સી. બરંડા,મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી જલ્પાબેન ભાવસાર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here