કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-
મહીસાગર જિલ્લાના કડાણા ડેમ વિસ્તાર માં સ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરી તોડી પાડવામાં આવેલ છે. જેના કારણે આદિવાસી સમાજના લોકોની લાગણી દુભાઇ છે. દેશની સ્વતંત્રતા લડવૈયા જનનાયક ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાને ખંડિત કરવું આ પ્રકારનું કૃત્ય એ દેશના ક્રાંતિકારીઓનું અપમાન છે. અખિલ ભારતીય વિધાર્થી પરિષદ કાલોલ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવે છે કે આવા અસામાજિક તત્વોને પકડી લઇ તેમની વિરુદ્ધ કડકમાં કડક ત્વરિત કાર્યવાહી કરવામાં આવે અને આ ઉપરાંત ટુંક જ સમયમાં નવી ભવ્ય પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવે એવી પણ માંગની કરેલ છે.