કાતોલ અને કંડાચના યુવાનો કુળદેવી હરસિદ્ધિ માતાજીના ધામ રાજપીપળા ખાતે જવા પગપાળા સંઘ રવાના થયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ તાલુકાના કાલોલ છત્રીસ પરગણા રાજપૂત સમાજના કાતોલ તથા કંડાચ ગામના ૩૦ યુવાનો છેલ્લા ૧૨ વર્ષથી નવરાત્રીના શુભ અવસરે રાજપીપલા કુળદેવી હરસિદ્ધિ માતાજી ના મંદિરે પગપાળા સંઘ જાય છે. જેમાં ચાલુ વર્ષ બારમાં વર્ષે પણ આ બન્ને ગામના રાજપુત યુવાનો પગપાળા માં હરસિદ્ધિ માતાજીના મંદિરે રાજપીપલા ખાતે જવા રવાના થયા હતા. આ તમામ યુવાનો નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના ધામ પહોંચશે અને નવરાત્રીના પવિત્ર અવસરે માતાજી ના ધામ માં પુજા, અર્ચના અને પ્રાર્થના કરી ધન્યતા અનુભવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here