સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
ગતરોજ ધંધુકામા હિન્દુ માલધારી સમાજના નવ યુવક કિશનભાઇ શિવરામભાઇ ભરવાડની કેટલાક વિધર્મી ઈસમો દ્વારા કાયદો અને કાનૂન વ્યવસ્થાની બીક રાખ્યા વિના છડે ચોક જાહેરમાં નિર્મમ હત્યા કરવામાં આવેલ તેમજ રાધનપુર તાલુકાના શેઠગઢ ગામે હિન્દુ ચૌધરી સમાજની દીકરી ઉપર પણ આવાજ વિધર્મીઓ દ્વાર જીવલેણ હુમલો કરવામાં આવેલ છે આ બંને બનાવોના સિદ્ધપુર ખાતે ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા સદર બંને બનાવ સંદર્ભે જવાબદાર વિધર્મી ઈસમો વિરૂદ્ધ પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી થાય તે માટે આજરોજ સિદ્ધપુર શહેરમાં સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા જન આક્રોશ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.હિન્દુ સમાજ દ્વારા આવા વિધર્મી તત્વો ઉપર કડક માં કડક કાનૂની કાર્યવાહી કરી સમાજમાં દાખલો બેસે તેવી માંગ કરવામાં આવી હતી.