સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સિદ્ધપુર ના દેથળી ગામે આવેલ બીએસએનએલ નો ટાવર બંધ હોવાથી તેના રિપેરીગ કામ માટે આવેલ ટેક્નિશનને ના ટાવરના કેબીનનું તાળું તૂટેલું જણાતા તેમજ અંદરથી વાયરોની ચોરી થયાની હકીકત ધ્યાને આવતા સિદ્ધપુર પોલીસમથકે ફરિયાદ આપી હતી. ટેક્નિશિયન ભાવેશ સોલંકી એ જણાવેલ હકીકત મુજબ ટાવર ના કેબિનનું તાળું તોડી કોઈ અજાણ્યા ઈસમોએ અંદરથી 200 ah (24 sale),ફીડર કેબલ ૨૪૦ મીટર,3જી સિસ્ટમના ૩ નંગ TRDU,2જી સિસ્ટમના એક નંગ TGT,નંગ-૪ TRE,ANC નંગ-૨,AGC નંગ-૧ મળી કુલ કિંમત ૩૨ હજાર મા કેબલની ચોરી કરી ફરાર થઇ ગયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.જેની આગળ ની તપાસ ઈ,પીઆઈ પી.એસ.ચલાવી રહ્યા છે.